લેબલ sarkari yojna સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ sarkari yojna સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

માનવ કલ્યાણ યોજના (૨૦૨૫-૨૬)

 

માનવ કલ્યાણ યોજના એ કુટીર અને ગ્રામીણ ઉધોગ વિભાગ ગુજરાત રાજ્ય  દ્ધારા નાના ધંધા વ્યવસાય કરનાર લોકો માટે ટુલકીટ સ્વરૂપે સહાય આપવા માટે ચાલુ કરવામાં આવેલ. જેનાથી નાના ધંધાદારીઓને ખૂબ જ ફાયદો થાય છે. આ યોજનામાં ૨૮ પ્રકારના ધંધા વ્યવસાય માટે ટુલકીટ સ્વરૂપે સહાય આપવામાં આવે છે.  આ યોજનાની વર્ષ ૨૦૨૫-૨૬ની જાહેરાત આવી ગઈ છે.   

યોજનાનું નામ: માનવ કલ્યાણ યોજના 

વિભાગ: કુટીર અને ગ્રામીણ ઉધોગ વિભાગ ગુજરાત રાજ્ય 

તારીખ: ૦૮-૦૪-૨૦૨૫ થી એક માસ 

કોણ અરજી કરી શકે?: 

નીચેના  ધંધા વ્યવસાય કરનારાઓને આ યોજનામાં કરી શકે?

કડીયાકામ, સેન્ટીંગ કામ, વાહન સર્વિસિંગ અને રિપેરિંગ, મોચીકામ, દરજીકામ, ભરતકામ,  કુંભારી કામ, વિવિધ પ્રકારની ફેરી, પ્લમ્બર, બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ, ખેતીલક્ષી લુહારી કામ, સુથારી કામ, ધોબી કામ, દૂધ - દહી વેચનાર, માછલી વેચનાર, પાપડ બનાવટ, અથાણા બનાવટ, ગરમ ઠંડા પીણાં અને અલ્પાહાર વેચાણ, પંચર કીટ, ફ્લોર મીલ, મસાલા મીલ,  રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો) , મોબાઈલ રિપેરિંગ, પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ), હર કટિંગ, રસોઈકામ માટે પ્રેશર કુકર (ઉજ્જવાલાના લાભાર્થી)

અરજી કરવા માટે પાત્રતા:

૧. અરજદારની ઉમર ૧૮ થી ૬૦ વર્ષની હોવી જોઈએ. 

૨. અરજદારની વાર્ષિક આવક ૬ લાખથી ઓછી હોઇ જોઈએ. અથવા બી.પી.એલ. યાદીમાં આવતા  હોવા જોઈએ. 

અરજી કરવા માટે જરૂરી પુરાવા: 

૧. આધારકાર્ડ 

૨. ઈ-શ્રમ કાર્ડ 

૩. રેશનકાર્ડ 

૪. જાતીનો દાખલો (જનરલ માટે વૈકલ્પિક)

૫. આવકનો દાખલો 

૬. ફોટો 

અરજી કયા કરી શકે?

૧. આપની ગ્રામપંચાયતના vce મારફત અથવા 

૨. https://e-kutir.gujarat.gov.in/ ની વેબસાઇટથી જાતે ઓનલાઈન અરજી કરી શકે. અરજી કરવા માટે વેબસાઇટ ઉપર જઈ રજીસ્ટ્રેશન કરી આપના ધંધા વ્યવસાયને લગતી વિગતો ભરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. 


અરજી કર્યા બાદ પસંદગી જિલ્લા ઉધોગ કેન્દ્ર દ્ધારા ઓનલાઈન ડ્રો સિસ્ટમથી કરવામાં આવશે. આપની પસંદગી થયા બાદ એક વાઉચર આપના લૉગ ઇન ડેશબોર્ડ ઉપર ઉપલબ્ધ થશે. ત્યાર બાદ આપ ઈ કુટીર અધિકૃત ડીલર્સ પાસેથી વાઉચરની કિંમતની મર્યાદામાં આપના ધંધા વ્યવસાયને લગતી વસ્તુઓ ખરીદી શકશો. તો રાહ શેની જુઓ છો આજે જ રજીસ્ટ્રેશન કરી યોજનાનો લાભ લો.   

આ માહિતી બીજા સુધી જરૂર પહુચાડો.                






          

આયુષ્માન ભારત યોજના

આયુષ્માન ભારત (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શું છે?


આયુષ્માન ભારત યોજના એ કેન્દ્ર સરકારની યોજના છે. જેનો લાભ દરેક ભારતીય નાગરિક લઈ શકે છે. આ યોજના  સપ્ટેમ્બર -૨૦૧૮માં લાગુ કરવામાં આવી હતી. આ યોજનાના લાભાર્થી પરીવારને ₹ ૫ લાખ સુધીની વાર્ષિક આરોગ્યની સારવાર વિનામૂલ્યે કેશલેસ થાય છે. હાલ ગુજરાત સરકાર દ્વારા જેની મર્યાદા ૧૦ લાખ કરવામાં આવેલ છે. જેનો એક પણ રૂપિયો લાભાર્થીઓએ ચૂકવવાનો હોતો નથી. આ યોજના માટે વાર્ષિક આવક મર્યાદા ₹ ૪ લાખની છે. આ યોજના અંતર્ગત ગુજરાતભરની ૨૪૯૯ ખાનગી તથા સરકારી હોસ્પિટલોમાં સારવાર કરાવી શકો છો.

આયુષ્માન ભારત યોજનામાં કયા કયા રોગોની સારવાર થશે?

આયુષ્માન ભારતમાં કુલ 1350 પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસીજરનો લાભ મળશે. દેશનાં પ્રત્યેક ગરીબ નાગરિકને મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી પ્રક્રિયાનો વિનામૂલ્યે લાભ મળશે. ઓપરેશનમાં બાયપાસ સર્જરી, મોતીયો, કોર્નિયલ ગ્રફ્ટીંગ, ઓર્થોપ્લાસ્ટી, છાતીમાં ફ્રેક્ચર, યુરોલોજીકલ સર્જરી, સીઝેરીયન ડીલીવરી, ડાયાલીસીસ, સ્પાઈન સર્જરી, બ્રેન ટ્યુમર સર્જરી તેમજ કેન્સરની વિવિધ  સમાવેશ કરવામાં આવ્યો છે.

રજિસ્ટ્રેશન કયા કરાવવું?

૧. ગ્રામપંચાયત તથા નગરપાલિકા મહાનગર પાલિકા ખાતે.
૨. આપના નજીકના પ્રાથમિક સારવાર કેન્દ્ર પર.
૩. જે હોસ્પિટલોમાં આયુષ્માન ભારત યોજના ચાલુ હોય ત્યાં.

રજિસ્ટ્રેશન માટે જરૂરી પુરાવા:

૧. આધારકાર્ડ
૨. આવકનો દાખલો
૩. રેશનકાર્ડ

આ કાર્ડ પરીવારમાં વ્યક્તિદીઠ અલગ અલગ હોય છે. પરીવારના પહેલા સભ્યનો રજિસ્ટ્રેશન કર્યા બાદ તેમાં પરીવારના અન્ય સભ્યોના નામ તે સભ્યની સંમતિથી ઉમેરી શકાય છે. તે માટે જરૂરી પુરાવાની વિગત નીચે મુજબ છે.

૧. આધારકાર્ડ (મુખ્ય વ્યક્તિનો તથા જેનું નામ ઉમેરવાનું છે તેનો)
૨. મુખ્ય વ્યક્તિનું pmjay આઇ. ડી (આયુષ્માન કાર્ડ)
૩. રેશનકાર્ડ 


14555 / 1800111565


જો આપને આયુષ્માન ભારત યોજના બાબતે કોઈ પ્રશ્ન હોય તો અમારો સંપર્ક પણ કરી શકો છો.








માનવ કલ્યાણ યોજના (૨૦૨૫-૨૬)

  માનવ કલ્યાણ યોજના એ કુટીર અને ગ્રામીણ ઉધોગ વિભાગ ગુજરાત રાજ્ય  દ્ધારા નાના ધંધા વ્યવસાય કરનાર લોકો માટે ટુલકીટ સ્વરૂપે સહાય આપવા માટે ચાલુ...